
ડાંગ જિલ્લામાં લોક દરબાર અને પોલીસ સંમેલન યોજાયું : 43 મોબાઈલ પરત, સાયબર ફ્રોડની રકમ પરત અને જનજાગૃતિ સંદેશો
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર : આહવા ;તા,૨૩
ડાંગ જિલ્લામાં સૂરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીર સિંહ સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર અને પોલીસ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા જનહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
43 મોબાઈલ ફોન માલિકોને પરત
પોલીસ દ્વારા ગુમ થયેલા કુલ 43 મોબાઈલ ફોન શોધી કાઢી તેમના હકદાર માલિકોને પરત આપવામાં આવ્યા. મોબાઈલ પરત મળતા નાગરિકોમાં ખુશીની લાગણી જોવા મળી.
સાયબર ગુનામાં ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોને “તેરા તુઝકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ₹2,59,000 (બે લાખ ઓગણસાઠ હજાર)ની રકમ પરત આપવામાં આવી. પોલીસ વિભાગની ઝડપી કાર્યવાહીથી પીડિતોને રાહત મળી.
IG સાહેબે માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવતા જણાવ્યું કે રોડ અકસ્માતો અટકાવવા માટે બે-વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવું જોઈએ. “હેલ્મેટ તમારું જીવન બચાવે છે” એવો સંદેશ આપવામાં આવ્યો.
સાયબર ફ્રોડથી બચવા માટે માર્ગદર્શન
નાગરિકોને સાયબર ઠગાઈથી બચવા માટે માહિતગાર આપવામાં આવ્યા
અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરો
OTP, બેંક વિગત અથવા પાસવર્ડ કોઈને ન આપો
શંકાસ્પદ કોલ કે મેસેજથી સાવચેત રહો
1930 હેલ્પલાઈન પર તરત જાણ કરો
લોક દરબાર દરમિયાન નાગરિકોની સમસ્યાઓ સાંભળી યોગ્ય નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી. કાર્યક્રમ અંતે પોલીસ અધિકારીઓએ જનતા સાથે સીધો સંવાદ કરી વિશ્વાસ અને સહકાર વધારવાનો સંદેશ આપ્યો.
ડાંગ જિલ્લા પોલીસની આ કામગીરીને લોકોએ સરાહના વ્યક્ત કરી.