

*સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૯
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે CAWACH કેન્દ્ર અંતર્ગત સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ (Cyber Awareness & Personality Development Programme), (Expert Lecture & MoU Signing) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રદિપ મુન (CBWE – Central Board for Workers’ Education, Ministry of Labour & Employment, Government of India) ઉપસ્થિત રહ્યા. તેમણે વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ કુશળતા, સાયબર ક્રાઇમ જાગૃતિ, ઑનલાઇન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા તથા કારકિર્દી અવસરો અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું. કોલેજના આચાર્યશ્રી ડૉ. યુ. કે. ગાંગુર્ડેએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું.
આ પ્રસંગે કોલેજ અને Universal Foundation, Mumbai (જે CBWE અંતર્ગત કાર્ય કરે છે) વચ્ચે શૈક્ષણિક સહકાર માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ MoU દ્વારા ભવિષ્યમાં સાયબર જાગૃતિ, તાલીમ કાર્યક્રમો અને કારકિર્દી માર્ગદર્શન માટે સંયુક્ત પ્રવૃત્તિઓ યોજાશે.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રાદ્યાપકશ્રીઓ ડૉ. દિલીપકુમાર ગાવિત, ગૌરાંગભાઈ ગાઈન તેમજ કોલેજના કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
–