

*સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા NSS નો સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૨૦
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા દ્વારા NSS નો સાત દિવસીય પ્રાથમિક શાળા ગોંડલવિહિર ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૯ રોજ આ શિબિરના ઉદ્ધઘાટન સમારોહમાં ઉપસ્થિત તાલુકા શિક્ષણાધિકારી શ્રી કલ્પેશભાઈ જે ચૌધરીએ એન.એસ.એસના સ્વયંસેવકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ વ્યસન અને ડ્રગ્સ વગેરેથી દૂર રહીને રાષ્ટ્રની સેવા માટે સૌપ્રથમ તૈયાર થવા જોઈએ તેમને ઉડતા પંજાબ ફિલ્મનું ઉદાહરણ આપીને વ્યસન અને ડ્રગ્સ દુર રહેવા જણાવ્યું હતું. આ સાથે જ યુવાનોએ મોબાઈલ ના વ્યસન થી દુર રહી તેનો સદુપયોગ કરવો જણાવ્યું હતું.
NSS ખાસ શિબિરના ઉદ્ધઘાટન પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડૉ.યુ. કે ગાંગુર્ડે દ્વારા એન.એસ.એસના સ્વયંસેવકોને રાષ્ટ્રીય સેવા માટે અને દેશના આઝાદી માટે બલિદાન આપી ચૂકેલા મહાત્મા ગાંધીજી, ભગતસિંહ અને એમના સાથીઓ રાષ્ટ્રના સેવા કાર્ય માંથી સ્વયંસેવકો રાષ્ટ્ર સેવા અંગે પ્રેરણા લેવા તેમજ યુવાનોને હંમેશાં રાષ્ટ્ર સેવા માટે તેયાર રહેવા જણાવ્યું હતું
વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ.એ.જી ધારિયાએ સ્વયંસેવકોને સેવા શબ્દોની સમજૂતી આપી, સેવા ના પ્રકારો વિશે વિદ્યાર્થીઓને સમજાયું હતું. સાથે જ પરિવાર, વડીલો ઘરના વૃદ્ધો વગેરેની સેવા તેમજ આજુબાજુના લોકોને સેવા પણ એક રાષ્ટ્રીય સેવા છે તેમ જણાવ્યું હતું.
–