
*2020-21થી અધૂરી આંગણવાડી… જવાબદાર કોણ? મનરેગા હેઠળ થયેલા કામ સામે ગંભીર સવાલો, સુબીર તાલુકા ના બેહડુન ગામમાં ગ્રામજનોમાં ભારે રોષ*
*રિપોર્ટર: ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બેહડુંન ગામમાં વર્ષ 2021-22 દરમિયાન મનરેગા યોજના હેઠળ શરૂ કરાયેલી આંગણવાડી ઇમારત આજે પણ અધૂરી હાલતમાં પડેલી છે. વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં ગામના નાના બાળકો આજે પણ સ્કૂલ ના મકાનમાં આંગણવાડી ચલાવવા મજબૂર બન્યા છે. આ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને મનરેગા હેઠળ થયેલી કામગીરી તેમજ તેની દેખરેખ અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંગણવાડીના બાંધકામની ગુણવત્તા અત્યંત નબળી છે. બાંધ કામ દરિમયાન બાંધેલા કોલમ 2021થી એમ ને એમ પડ્યા છે જેના લીધે કોલમો ના સ્ટીલ મા કાટ લાગી જવાના કારણે જો હવે પછી જો આજ બાંધેલા સ્ટીલ નો ઉપયોગ કોલમ તરીકે કરવામાં આવશે તો તેની મજબૂતાઈ અત્યંત નબળી રહશે જેના કારણે જો ભવિષ્ય માં આ આંગણવાડી માં નાના બાળકો અને આંગવાડી બહેન આ આંગળવાડી ઉપયોગ માં લેશે તો એમના પણ જાન ને જોખમ કાયમ માટે રહશે ગ્રામજનોનું કહેવું છે કે જો શરૂઆતથી જ મનરેગા હેઠળના કામની યોગ્ય તકનિકી દેખરેખ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હોત તો આજે આવી સ્થિતિ સર્જાઈ ન હોત.સ્થાનિકોમાં ચર્ચા છે કે મનરેગા હેઠળ આ કામની દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી? સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓએ સમયાંતરે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કે નહીં? જો કર્યું હતું તો ગુણવત્તાની ખામીઓ અને વર્ષોથી બંધ પડેલું કામ તેમની નજર બહાર કેવી રીતે રહ્યું? આવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.ગ્રામજનોના મતે, મનરેગા જેવી મહત્વની સરકારી યોજનામાં કરોડો રૂપિયાના વિકાસ કામો થાય છે. તેથી યોજનાના અમલીકરણમાં જોડાયેલા જવાબદાર કર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી પણ એટલી જ મહત્વની બને છે. જો કામમાં ગુણવત્તાનો અભાવ, દેખરેખમાં બેદરકારી અથવા અન્ય કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.સ્થાનિકો વધુમાં સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે જિલ્લા પંચાયતની નવી ઇમારત સમયસર પૂર્ણ થઈ શકે છે, ત્યારે વર્ષ 2021-22માં મનરેગા હેઠળ શરૂ થયેલી આંગણવાડી આજે પણ અધૂરી કેમ છે? આખરે આ વિલંબ માટે જવાબદાર કોણગ્રામજનોએ માંગ કરી છે કે મનરેગા હેઠળ થયેલા આ સમગ્ર બાંધકામની ઉચ્ચસ્તરીય તકનિકી અને વહીવટી તપાસ કરવામાં આવે. જો તપાસમાં બાંધકામ બિનઉપયોગી અથવા અસુરક્ષિત હોવાનું સામે આવે તો ઇમારતને તોડી નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવે. સાથે જ, તપાસમાં જો કોઈ એજન્સી, અધિકારી કે કર્મચારીની બેદરકારી અથવા ગેરરીતિ સાબિત થાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી, સરકારી નાણાંની વસૂલાત તથા જરૂરી હોય તો પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે.હવે સૌની નજર જવાબદાર તંત્ર અને મનરેગા વિભાગ પર છે. પ્રશ્ન માત્ર અધૂરી ઇમારતનો નથી, પરંતુ ડાંગ જિલ્લાના નાનાં બાળકોના ભવિષ્ય, તેમની સુરક્ષા અને સરકારી નાણાંના જવાબદાર ઉપયોગનો છે.