

*સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આહવામાં ભવ્ય રેલી*
*૯ ઓગસ્ટે આદિવાસી અસ્મિતાના રંગે રંગાયું આહવા, બિરસા મુંડા સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ*
*રિપોર્ટર : ઝાકિર ઝંકાર, આહવા (ડાંગ)*
આહવા : સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા દર વર્ષે ૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિત્તે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આહવા સાપુતારા સર્કલથી શરૂ થયેલી રેલી ડી.જે.ના તાલ સાથે ઉત્સાહભેર બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. પરંપરાગત વેશભૂષા સાથે વિવિધ આદિવાસી નૃત્યો રજૂ કરી આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અસ્મિતાની અનોખી ઝલક રજૂ કરવામાં આવી હતી.
રેલી બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચ્યા બાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પુષ્પાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસી સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય આયોજકો નરેશભાઈ ડી. ગવળી, બંટીભાઈ બચ્છાવ, હરિચંદ ભોંયે, રામુ ગાવિત, ઝાકિર ઝંકાર, ભાવેશ પટેલ, રાજા, કૌશિક, કૃણાલ,આદિવાસી ગ્રુપ,જનસેવા ગ્રુપ સહિતના આગેવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આયોજકોએ રેલીમાં જોડાયેલા તમામ સમાજબંધુઓ તથા સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.