જાફરાબાદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, માતાઓ-બહેનો અને વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
🎤 વ્યક્તિગત બાઈટ – સમાજ આગેવાન
મહેશભાઈ રાજ્યગુરુ
“સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવવી અને તેમને આગળના અભ્યાસ માટે પ્રોત્સાહન આપવું એ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ વધુ મહેનત કરી સમાજ અને પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.”
વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે
“અમારા બાળકોની મહેનતને સમાજ દ્વારા સન્માન મળે તે અમારા માટે ગૌરવની વાત છે. આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે.
વિદ્યાર્થીઓ ને સન્માન અને શૈક્ષણિક કીટ મળવાથી ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. આગળ પણ મહેનત કરીને સારા પરિણામ મેળવી પરિવાર અને સમાજનું નામ રોશન કરવાનો પ્રયાસ કરીશું.
“દીકરીઓ અને વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી છે. સમાજ દ્વારા આવા સન્માન સમારોહ યોજાય તેનાથી વિદ્યાર્થીઓને આગળ વધવાની પ્રેરણા મળે છે
જાફરાબાદમાં યોજાયેલા આ સરસ્વતી સન્માન સમારોહમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવામાં આવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ