

આજ રોજ માતાનામઢ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. પધ્યુંમન વાજા સાહેબે આશાપુરા માતાજીના ચરણોમાં દર્શન કરી સંધ્યા આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પણ હાજર રહ્યા હતા. દર્શન બાદ મંત્રીશ્રી દ્વારા ચા પર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લખપત તાલુકાના શિક્ષક સ્ટાફ, માતાનામઢ જાગીર ટ્રસ્ટના પ્રતિનિધિઓ તેમજ ગામના માજી સરપંચ સુરેન્દ્રસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા મંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું. સન્માન કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્રી ખેંગારજી બાપુ, મેનેજર મયુરસિંહ જાડેજા, જેડી મહેશ્વરી (BRC), મહિપ્તસિંહ, કુલદીપસિંહ સહિત આગેવાનો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે જાંબાજ પત્રકાર અને દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ આદમ નોતિયાર દ્વારા દિવ્યાંગ લોકો માટે ચાલી રહેલી રોજગારી તથા સ્વરોજગારીની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી. આદમ નોતિયારની સતત મહેનત અને માતાનામઢના માજી સરપંચ સુરેન્દ્રસિંહના સપોર્ટ તથા સહયોગથી લખપત તાલુકામાં અનેક દિવ્યાંગો આત્મનિર્ભર બન્યા હોવાનું રજૂ કરવામાં આવ્યું, જેને મંત્રીશ્રીએ બિરદાવ્યું હતું.
રિપોર્ટ બાય આદમ નોતિયાર