
*દયાપર પોલીસ સ્ટેશન*
*તા. 14/02/2026*
*ખનીજચોરી ઉપર અંકુશ લાવવા દયાપર પોલીસની કાર્યવાહી*
ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દયાપર પોલીસે ગેરકાયદેસર ખનીજચોરી રોકવા સઘન કાર્યવાહી હાથ ધરી છે.
ચિરાગ કોરડીયા (પોલીસ મહાનિરીક્ષક, બોર્ડર રેન્જ–ભુજ), વિકાસ સુંડા (પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ–ભુજ) તથા બી.બી. ભગોરા (નાયબ પોલીસ અધિક્ષક, નખત્રાણા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ દયાપર પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલ ના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ એન. જાડેજા અને પો.કોન્સ્ટેબલ વિજયસિંહ એમ. દરબાર પેટ્રોલિંગ દરમ્યાન પાનેલી–જાગોરા સીમ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા.
ત્યારે રજીસ્ટ્રેશન નંબર GJ-12-K-1324 ધરાવતું ટ્રેક્ટર ટ્રોલી સાથે શંકાસ્પદ હાલતમાં આવતું જણાતા તેને રોકી તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન ટ્રોલીમાં અંદાજે ૪૫૯૫ કિલો (લગભગ ૪.૫ ટન) રેતી (ખનીજ) ભરેલ હોવાનું સામે આવ્યું.
વાહનચાલક નરપતસિંહ ગોવુભા ચૌહાણ (ઉંમર 36, રહે. માતાના મઢ, તા. લખપત) પાસે રોયલ્ટી પાસ અથવા પરમીટ અંગે પૂછપરછ કરતાં કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતાં.
આથી ખાણ-ખનીજ અધિનિયમની કલમ 34 મુજબ ટ્રેક્ટર ડિટેઇન કરી ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
દયાપર પોલીસ દ્વારા ખનીજચોરી સામે આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટ બાય: આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા