

તમામ કાનૂની પુરાવા હોવા છતાં કંપની દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર કામ – કંપની સામેં સાયરા ગામ એકજૂટ
લખપત તાલુકો (કચ્છ):
લખપત તાલુકાના મોજે સાયરા ગામે ભગવતી બિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. દ્વારા સરકારી પડતર જમીન તેમજ ગામના જાહેર તળાવમાંથી કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી, પરવાનગી કે એનઓસી વગર ભારે વાહનો માટે રસ્તો બનાવવામાં આવ્યો હોવાની ગંભીર અને ચિંતાજનક હકીકત સામે આવી છે.
આ મામલો માત્ર શંકાસ્પદ નહીં પરંતુ ૭/૧૨ ઉતારા, અધિકૃત નકશા તથા સરકારી નોંધોથી પુરવાર થયેલ હોવા છતાં કંપની દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે કંપની કાયદા અને તંત્રને પડકાર આપી રહી છે.
આ ગંભીર ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાયરા ગામના કુલ ૬૮ ખેડૂત, માલધારી, ગ્રામજનો તથા તમામ વર્ગના લોકો એકજૂટ થઈ તમામ સંબંધિત વિભાગો અને અધિકારીઓને લેખિત આવેદન પત્ર તથા પુરાવા સાથે કડક કાર્યવાહી કરવાની દૃઢ માંગ કરી છે.
📌 ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી સમક્ષ
➡️ તળાવના ૭/૧૨ ઉતારા,
➡️ સરકારી જમીન નોંધ,
➡️ અધિકૃત રેકોર્ડ નકશા
રજુ કરવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે સાબિત થાય છે કે ઉક્ત તળાવ સરકારી હસ્તકનું છે અને ગ્રામ પંચાયત ઉપયોગ માટે નોંધાયેલ છે.
📌 આ તમામ પુરાવા હાજર હોવા છતાં કંપની દ્વારા
• જાહેર તળાવમાં મોરમ-માટી નાંખી રસ્તો બનાવવામાં આવ્યો,
• તળાવનું કુદરતી સ્વરૂપ નષ્ટ કરવામાં આવ્યું,
• પાણી પ્રદૂષિત થવાથી પશુધન માટે ગંભીર પાણી તંગી સર્જાઈ,
• ખેતી, પર્યાવરણ અને ગ્રામજનોના જીવન આધાર પર ગંભીર અસર પડી છે.
આ સ્થિતિમાં સૌથી ગંભીર પ્રશ્ન એ છે કે
❓ આટલા સ્પષ્ટ કાનૂની પુરાવા હોવા છતાં કંપનીને કોના આશીર્વાદથી આવા ગેરકાયદેસર કામ કરવાની હિંમત થઈ?
❓ જવાબદાર વિભાગો મૌન કેમ છે?
📌 આ અંગે ગ્રામજનો દ્વારા નીચેના અધિકારીઓને લેખિત આવેદન તથા નકલ રવાના કરવામાં આવી છે :
1️⃣ શ્રી જિલ્લા કલેક્ટર સાહેબ
જિલ્લા સેવા સદન, ભુજ – કચ્છ
2️⃣ શ્રી નાયબ કલેક્ટર સાહેબ
નખત્રાણા – કચ્છ
3️⃣ શ્રી મામલતદાર સાહેબ
દયાપર, તાલુકો લખપત – કચ્છ
4️⃣ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ
તાલુકા પંચાયત કચેરી, લખપત – કચ્છ
5️⃣ શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ
ભુજ – કચ્છ
📌 ગ્રામજનોની સ્પષ્ટ અને દૃઢ માંગ છે કે
➡️ ગેરકાયદેસર રીતે બનાવેલ રસ્તો તાત્કાલિક બંધ કરાવવામાં આવે,
➡️ જાહેર તળાવને થયેલ નુકસાનની રીકવરી કંપની પાસેથી વસૂલવામાં આવે,
➡️ જવાબદાર કંપની સામે ભૂ-આવક કાયદા, પંચાયત અધિનિયમ તથા પર્યાવરણ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે.
📢 ગ્રામજનોએ ખુલ્લી ચેતવણી આપી છે કે
જો તાત્કાલિક, ન્યાયસભર અને કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો
➡️ સાયરા ગામના તમામ રહેવાસીઓ ગાંધી ચીંધ્યા માર્ગે શાંતિપૂર્ણ પરંતુ દૃઢ આંદોલન શરૂ કરવા મજબૂર બનશે,
➡️ જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્ર અને અધિકારીઓની રહેશે.
📌 નકલ રવાના (જાણ તથા જરૂરી કાર્યવાહી અર્થે):
૧) માન. શ્રી વિનોદભાઈ એલ. ચાવડા, સાસદશ્રી – કચ્છ
૨) માન. શ્રી પી.એમ. જાડેજા, ધારાસભ્યશ્રી – અબડાસા
૩) જિલ્લા વિકાસ અધિકારી સાહેબ – ભુજ
૪) તાલુકા પંચાયત પ્રમુખશ્રી – લખપત
૫) માર્ગ અને મકાન વિભાગ – લખપત
૬) સરપંચશ્રી તથા તલાટી સહ મંત્રી – ગુનેરી જૂથ ગ્રામ પંચાયત
૭) પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ – દયાપર પોલીસ સ્ટેશન
૮) તમામ પત્રકારશ્રી – જાહેર જાણ અર્થે
📌 ગ્રામજનોની અંતિમ અપીલ છે કે
૭/૧૨, નકશા અને સરકારી નોંધ જેવા અખંડ પુરાવા હોવા છતાં થયેલી આ ખુલ્લી ગેરકાયદેસરતા સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી રસ્તો તરત બંધ કરાવવામાં આવે.
🟥 ન્યાય નહીં મળે તો આંદોલન અનિવાર્ય.
રિપોર્ટ બાય:
✍️ આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યુઝ
બિયરો ચીફ – લખપત તાલુકા