યાત્રાધામ અંબાજીમાં રૂપિયા 1632 કરોડના ખર્ચે 50 વર્ષના વિઝન સાથે મેગા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ અંબાજી ગબ્બરની ‘જ્યોત’ અને મંદિર ‘વિશા યંત્ર’ ને ટેકનોલોજીથી જોડાશે. જેના માટે અંબાજી મંદિરથી ગબ્બર સુધી શક્તિ કૉરિડોર નું નિર્માણ થશે, ચાચર ચોકનું ત્રણ ગણું વિસ્તરણ સહિત વિકાસના કામો કરવામાં આવશે.
અંબાજી યાત્રાધામ ખાતેને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
માસ્ટપ્લાનનો પ્રથમ તબક્કો: પ્રથમ તબક્કામાં અંદાજે
રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ થશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.આ ઉપરાંત મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝાનો સમાવેશ થાય છે.
માસ્ટરપ્લાનનો બીજો તબક્કો: અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરવામાં આવશે.
ચાચર ચોકનું વિસ્તરણ કરાશે… ચાચર ચોકનું
વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે.સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે.માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર,પરિક્રમા માર્ગ,રોપવે તથા ભીડને સંકલન કરવામાં આવશે.