

મહાદેવ મંદિરની ધ્વજા પર સમડી (બાજ) બેસવાની ઘટના આસ્થા અને લોકમાન્યતાનો સંકેત
ઝાકિર ઝંકાર: આહવા
ડાંગ જિલ્લાના આહવા માં
તાજેતરમાં મહાદેવ મંદિરની ધ્વજા પર સમડી (બાજ) શાંતિપૂર્વક બેસવાની ઘટના ભક્તજનોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહનું વાતાવરણ સર્જી રહી છે. હિન્દુ શાસ્ત્રો અને લોકમાન્યતાઓ અનુસાર મંદિરનું શિખર અને ધ્વજા ભગવાનનું મસ્તક માનવામાં આવે છે, તેથી આવી ઘટનાને દૈવી સંકેત તરીકે જોવામાં આવે છે.
પ્રચલિત માન્યતાઓ મુજબ
સમડી આકાશમાં ઊંચે ઉડતું શક્તિશાળી પક્ષી છે. તેનું મંદિરની ધ્વજા પર બેસવું શુભ સંકેત માનવામાં આવે છે. ભક્તો તેને ભગવાન શિવની કૃપા અને સકારાત્મક ઊર્જાના સંચાર તરીકે માને છે.
લોકવિશ્વાસ અનુસાર સમડી રક્ષક પક્ષીનું પ્રતિક છે. મહાદેવ મંદિર પર તેનું બેસવું એ ભગવાન શિવ દ્વારા સ્થળ અને ભક્તોની રક્ષા થતી હોવાનો સંકેત માનવામાં આવે છે.
સમડીની તીક્ષ્ણ દ્રષ્ટિ ઉચ્ચ ચેતનાનું પ્રતિક માનવામાં આવે છે. આ ઘટના ભક્તોને જીવનમાં ઊંચા વિચાર અને આધ્યાત્મિક માર્ગ અપનાવવાનો સંદેશ આપે છે
કેટલીક માન્યતાઓ મુજબ દેવતા કે સિદ્ધ પુરુષ પક્ષી સ્વરૂપે દર્શન આપે તેવી માન્યતા પણ પ્રચલિત છે. જો સમડી ધ્વજા પર લાંબા સમય સુધી શાંતિથી બેસે, તો તેને અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે.
મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને શાંતિ, વ્યવસ્થા અને શ્રદ્ધાભાવ જાળવવાની અપીલ કરવામાં આવે છે. આ ઘટનાને આધ્યાત્મિક ચિંતન અને સકારાત્મકતાના સંદેશ રૂપે સ્વીકારવા અનુરોધ કરવામાં આવે છે.