
છોટાઉદેપુર જિલ્લામાં વિધવા બહેનોએ સાંસદ કાર્યાલયનો ઘેરાવ કરી વિધવા પેન્શન વધારવાની માંગ કરી. હાલ મળતા રૂપિયા 1250 ના પેન્શનને વધારી રૂપિયા 3,000 થી ₹4,000 કરવા સાંસદ જશુભાઈ રાઠવાને રજૂઆત કરી. મોંઘવારીમાં ઘર ચલાવવાનું મુશ્કેલી પડી રહી છે. સાંસદ જસુભાઈ રાઠવાએ બહેનોની વ્યથા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી. હાલ ગ્રામીણ વિસ્તાર કરતા શહેરી વિસ્તારમા ભાડા ખર્ચ વધુ હોવાથી વિધવાઓની હાલત વધુ કફોડી બની છે. જેથી સરકાર નેતાઓ અધિકારીઓના ભથ્થા વધારે છે. પરંતુ ગરીબોની સહાય વર્ષોથી સ્થિર છે. તે બહેનોને સવાલ મૂંઝવી રહ્યો છે…
રિપોર્ટ: મનીષ બારિયા