

*ડાંગ-આહવા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , ડાંગ (આહવા)*
આહવા,તા. ૧૩:
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી “વંદે માતરમના ૧૫૦ વર્ષ”ની થીમ અંતર્ગત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ હતી.
કલેક્ટર કચેરી ખાતેથી મહાનુભાવો દ્વારા ફ્લેગ ઓફ આપી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
કલેક્ટર કચેરીથી બિરસા મુંડા સર્કલ સુધી યોજાયેલી આ યાત્રામાં પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
મહાનુભાવોએ ગાંધી ઉદ્યાન, સરદાર પટેલ સર્કલ, શહીદ સ્મારક અને બિરસા મુંડા સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી શૂરવીરોને નમન કર્યા હતા.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટર શ્રી એન. ડી. પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કુલદીપસિંહ ઝાલા અને જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશભક્તિના નારાઓ અને ગીતોથી આહવાનું વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.