

રાજકોટ ખાતે ૨૦૧૨ થી નવરંગ નેચર ક્લબ – રાજકોટ દર રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન ખેડૂતહાટ નું આયોજન કરે છે, હાલ આ ખેડૂતહાટ બાલભવન રેસકોર્ષ – રાજકોટ ખાતે ભરાય છે જેમાં ૯૦ ખેડૂતો પોતાની ચીજવસ્તુઓ વેચવા આવતા હોય છે, આ ખેડૂતો ને જગ્યા અને જાહેરાત વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.
તારીખ ૨૩/૦૮/૨૦૨૬ ના રોજ રાજકોટ ના મેયર શ્રી ડો. નેહલભાઈ શુકલ, શ્રી કિશોરભાઇ રાઠોડ, શ્રી ડો. મનુભાઈ કૈલા ખેડૂતહાટ માં પધારેલ, મેયર સાહેબે દરેક સ્ટોલ ની મુલાકાત લઈ ખૂબ રાજીપો વ્યક્ત કરી સેવાકીય પ્રવૃતિઓ માટે વી. ડી. બાલા ને અભિનંદન પાઠવેલ.
વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ – રાજકોટ
રાજકોટ બ્યુરો