રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઇમરજન્સી હેલ્પલાઇન ‘૧૧૨’ની સેવાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષના સમયગાળા દરમિયાન ‘૧૧૨’ હેલ્પલાઇન દ્વારા ૧૦ લાખથી વધુ ઇમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. ૧૧૨ સેવા ખરા અર્થમાં નાગરીકો માટે લાઈફલાઈન સાબિત થઈ છે. કંટ્રોલ રૂમ દ્વારા પ્રતિ મિનિટ સરેરાશ ૧૦ કોલ એટેન્ડ કરીને ગણતરીની મિનિટોમાં પોલીસ કે સંબંધિત મદદ પહોંચાડવામાં આવી છે.
૨૪ કલાક અને ૩૬૫ દિવસ રજા વગર કામ કરતા આ બંને સેવાઓના કોલ સેન્ટર એજન્ટ્સ, એમ્બ્યુલન્સ સ્ટાફ, ડ્રાઇવરો અને પોલીસ કર્મચારીઓ ગુજરાતના સાચા અને અદ્રશ્ય ‘હીરો’ છે.