*ગાંધીનગર જિલ્લાના ભયજનક જળાશયોમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા જાહેરનામું બહાર પડાયું*
……….
તાજેતરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આવેલા જળાશયો જેવા કે નદી, તળાવ, નહેર અને દરિયામાં નહાવા પડેલા નાગરિકોના ડૂબી જવાથી અકાળે અવસાન થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે, જે અત્યંત ગંભીર બાબત હોય આવા અકસ્માતો અટકાવવા તથા જનસુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા એક અગત્યનું પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે ગાંધીનગર જિલ્લાની હકુમત હેઠળના તમામ નિર્ધારિત ભયજનક અને જોખમી જળાશયો કે જળસંચયોમાં કોઈપણ વ્યક્તિઓ કે પ્રવાસીઓના પ્રવેશ કરવા પર સખત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ તારીખ ૨૪/૦૭/૨૦૨૬ થી તારીખ ૨૧/૦૯/૨૦૨૫૬ સુધી (બંને દિવસો સહિત) સમગ્ર ગાંધીનગર જિલ્લામાં અમલમાં રહેશે, જેમાં સરકારી ફરજ પર રોકાયેલા અધિકારીઓ તથા કર્મચારીઓને બકાત રાખવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જે માટે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને ફરિયાદ નોંધાવવા અધિકૃત કરવામાં આવ્યા છે.
જિલ્લા પ્રશાસન દ્વારા તમામ નાગરિકો અને પ્રવાસીઓને સુરક્ષા ખાતર ભયજનક જળાશયો પાસે ન જવા તથા પ્રશાસનિક સૂચનાઓનું પાલન કરી પૂરતો સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર
હિતેશ પટેલ