

*લખપત તાલુકાના સોનલનગર ખાતે આઈ શ્રી સોનલનો 102મો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાયો*
લખપત તાલુકાના છેવાડે આવેલા સોનલનગર ખાતે લોકદેવી આઈ શ્રી સોનલના 102મા જન્મોત્સવની ભવ્ય અને ભાવભરી ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે સંતો-મહંતોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવથી છલકાયું હતું.
ઉજવણી દરમિયાન હરિસિંહ ડાડા, આઈ શ્રી ગંગા માં (કોડાય), પુલ-મંડવી તરફથી પધારેલા સંતો તેમજ નારાયણ સરોવર જાગીરના સોનલલાજી મહારાજ દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા. તેમના આશીર્વાદથી કાર્યક્રમને વિશેષ મહિમા મળ્યો હતો.
આ અવસરે ગ્રામજનો દ્વારા ચારણી પરંપરા અનુસાર નૂતન વર્ષાભિનંદનની ઉજવણી પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા.
સોનલ બીજના કાર્યમાં સતત જોડાયેલા કવિ જય જયેશદાન ગેનદાન ગઢવી, લખપત તાલુકા માંજી પ્રમુખ પી.સી. ગઢવી, સમરથદાન ગઢવી, આમ આદમી પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ ઝુઝારદાન વી. ગઢવી તેમજ ચારણ સમાજના લોકપ્રિય પ્રમુખ સકરદાન ચેનદાન ગઢવી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કવિ-સાહિત્યકારો અને કલાકારો જેમ કે ભવેશદા દરસદાન ગઢવી, ભરતદાન ડી. ગઢવી અને દેવદાન ગઢવી દ્વારા સાહિત્ય અને કલા પ્રસ્તુતિઓ આપવામાં આવી, જેના કારણે ઉજવણી વધુ રંગીન અને યાદગાર બની હતી.
આ સમગ્ર કાર્યક્રમને સુવ્યવસ્થિત અને કાર્યસિદ્ધ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો.
જાગૃત નાગરિક સામતદાન વી. ગઢવી
વરમાનગર, પાનધ્રો
રિપોર્ટ બાય :આદમ નોતિયાર
માતાનામઢ
Mo 9979330250
🌸
🌺 આઈ સોનલના ચરણોમાં 🌺
— કવિતા : આદમ નોતિયાર
રેતીના કાંઠે જનમ લેનારી,
ભક્તિના દીવા પ્રગટાવનારી,
સોનલનગરની પાવન માટી,
આઈ સોનલ તું શક્તિ ધારનારી.
ચારણ વાણીમાં તારો વાસ,
સૂર અને સંસ્કારનો અખૂટ પ્રકાશ,
નૂતન વર્ષમાં નૂતન આશ,
આઈના આશીર્વાદે મિટી જાય ત્રાસ.
સંતો-મહંતોના મંગળ સ્વર,
આકાશે ગુંજે તારો જ નગર,
ભક્તોના હૈયે તારો અવતાર,
સોનલ બીજે ઉજળ્યો સંસાર.
દુઃખિયાંને દે આશ્રય અને બળ,
નબળાને આપે તું આત્મબળ,
રણે રણે વ્હાલ વરસાવતી માય,
આઈ સોનલ તું કરુણામય છાય.
આદમ કહે શ્રદ્ધા રાખજો મનમાં,
શક્તિ જન્મે સચ્ચાઈના તણમાં,
આઈના ચરણમાં નમન સદા,
સોનલ તું છે અમારી અડગ શ્રદ્ધા.