

દયાપર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ
દયાપર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત દયાપર ખાતે જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દયાપર પોલીસ સ્ટેશનના એસ.આઈ. હરદેવ સિંહ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. પોલીસ દ્વારા વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ, મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક નિયમોનું પાલન કરવું તેમજ અકસ્માતથી કેવી રીતે બચી શકાય તે બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રકારના જન જાગૃતિ કાર્યક્રમો દ્વારા માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવાનો અને નાગરિકોમાં જવાબદારીભાવ વિકસાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.
રિપોર્ટ બાય ઇન્ડિયન ટીવી ન્યૂઝ
લખપત તાલુકા