અમદાવાદ જિલ્લાના સાણંદના વિરોચનનગર ગામે દેશભક્તિના રંગમાં રંગાયું
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…
50 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા…
સાણંદના વિરોચનનગર ગામે પ્રાથમિક શાળા નંબર- 1ના બાળકો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાનકડા બાળકોના હાથમાં લહેરાતો વિશાળ તિરંગો અને દેશભક્તિના નારાઓ યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
વિરોચનનગર માં યોજાયેલી આ તિરંગા યાત્રા દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો
રિપોર્ટર : ધરા પટેલ ,સાણંદ અમદાવાદ