નેપાળમાં આવેલા ભીષણ પૂરના કારણે ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્ય પર પૂરનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. નેપાળની નદીઓમાં નીરનો સતત વધારો થતાં પૂરનું પાણી ગંડક નદી મારફતે ભારત તરફ આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
બીજી તરફ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા લોકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરવામાં આવી છે.