*રવાપર ગ્રામ પંચાયત ખાતે પાણી મુદ્દે ગ્રામસભા — 20 સભ્યોની કમિટીની રચના, આવતીકાલે દયાપર ખાતે આવેદનપત્ર*
રવાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી સતત ચાલતી પાણીની તંગી અને અનિયમિત પાણી પુરવઠાની ગંભીર સમસ્યાને લઈ આજે ગ્રામસભા યોજાઈ હતી. અનેક રજૂઆતો છતાં યોગ્ય ઉકેલ ન મળતા ગામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
સભામાં નિર્ણય લેવાયો કે આવતીકાલે તા. 20-11 ના રોજ સવારે 11 વાગ્યે દયાપર પાણી પુરવઠા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવશે, અને જો તારીખ 25 સુધી કાયમી ઉકેલ ન મળે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો ગામજનોએ સંકલ્પ વ્યક્ત કર્યો.
20 સભ્યોની સમિતિ રચાઈ
પાણીના કાયમી ઉકેલ અને વહીવટીતંત્ર સાથે સુવ્યવસ્થિત વાતચીત કરવા માટે 20 સભ્યોની સમિતિ રચવામાં આવી. સમિતિના અગ્રણીઓમાં સમાવેશ થાય છે:
ગ્રામ પંચાયત પ્રતિનિધિઓ:
સરપંચ – પરેશભાઈ રૂપારેલ
ઉપસરપંચ – આમદભાઈ કુંભાર
ન્યાય સમિતિ અધ્યક્ષ – જેઠાલાલ યાદવ
પંચાયત સભ્યો – ત્રિકમભાઈ જોશી, અબ્દુલભાઈ ચાકી, ઓસમાણભાઈ કુંભાર, વિનોદભાઈ સોની, દીપકભાઈ નાકરાણી, કિર્તિભાઈ સાંખલા
અન્ય સભ્યો:
અશ્વિનભાઈ રૂપારેલ, નરસિંહભાઈ વાસાણી, ધરમશીભાઈ રંગાણી, વેલુભા દાનસંગજી ગોહિલ, દિનેશભાઈ સોની, વિજયભાઈ મોઢ, શંકરભાઈ રબારી, લાલજીભાઈ યાદવ, હાસમભાઈ ભટ્ટી, સિદ્દીકભાઈ કુંભાર, અબદરેમાન લુહાર, હાસમભાઈ થુડીયા, મનોજભાઈ વાળંદ, લાખુભા જાડેજા, અમજદ પીંજારા, હસન ભજીર, જુમાભાઈ ભજીર, કાનજીભાઈ યાદવ, પ્રવીણ દાન ગઢવી, પ્રકાશભાઈ જોશી, પ્રફુલભાઈ ગોસ્વામી, રાજુભા જાડેજા વગેરે સભ્યોનો સમાવેશ થાય છે.
નવા બોરની શરૂઆત
વથાણ ખાતે પાણીની તંગી હળવી કરવા માટે નવા બોરની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રી ગઢવીબેન હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.
સભાનું સંચાલન અશ્વિનભાઈ રૂપારેલાએ કર્યું હતું અને બેઠક સરપંચ પરેશભાઈ રૂપારેલની અધ્યક્ષતામાં પૂર્ણ થઈ હતી.
રિપોર્ટ બાય: આદમ નોતિયાર
ઇન્ડિયન ટીવી ન્યૂઝ બિયરો ચીફ, લખપત તાલુકા