

જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલમોમાઈ માતાજી મંદિર ચોત્રા ખાતે અમરેલી જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ નો સન્માન સમારોહ યોજાયો…
જાફરાબાદ નજીક નાગેશ્રી પાસે મોમાઈ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે જે મંદિર મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે અહીં એક વર્ષ પહેલા શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં દાતોઓ દ્વારા મોટી સંખ્યામાં દાન આપવામાં આવ્યું હતું. ત્યારે આજે એક વર્ષ પૂર્ણ થતા અમરેલી જિલ્લાના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ પક્ષના પ્રતિનિધિઓનો સન્માન સમારોહ આજે યોજાયો જેમાં કાર્યક્રમની શરૂઆતમાં દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી દીપ પ્રાગટ્ય માં મહંત શ્રી સૂર્યપ્રકાશદાસજી કથાકાર લાખણશીભાઈ ગઢવી ખેડૂત નેતા રાજુભાઈ કરપડા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ વરૂ નાગેશ્રી ચાપરાજબાપુવરૂ મીઠાપુર મનુભાઈ ધાખડા વડલી જોરુભાઈ ઉચૈયા ભ. આ કાર્યક્રમમાં શ્રી મોમાઈ માતાજી મંદિર ચોત્રા ના મહંતશ્રી સૂર્યપ્રકાશદાસજી દ્વારા ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને કથાકાર લાખણશીભાઈ ગઢવી એ મોમાઈ માતાજી નો ફોટો ફ્રેમ તેમજ ખેસ પહેરાવી તમામ અમરેલી જિલ્લા ના કાઠી ક્ષત્રિય સમાજના નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચુંટાયેલા પ્રતિનિધિ ઓ નુ સન્માન કર્યું હતું. રાજુલા જાફરાબાદ ખાંભા કાઠી ક્ષત્રિય સમાજ અને મંહત શ્રી સૂર્ય પ્રકાશદાસજી અને મોમાઈ વડ કમિટી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચુંટાયેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં કાઠી સમાજના રાજકીય આગેવાનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ