
શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ‘યોગ શિબિર’ યોજાઈ
વિદ્યાર્થીઓમાં માનસિક અને શારીરિક ક્ષમતાઓનો વિકાસ થાય અને “યોગ ભગાવે રોગ” નું સૂત્ર સાર્થક બને તેવા શુભ ઉદ્દેશ્ય સાથે શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ, થાનગઢ ખાતે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ શિબિરનું આયોજન લકુલીશ યોગ યુનિવર્સિટી, જાખણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લકુલીશ યોગ યુનિવર્સિટીના સેક્રેટરી ડૉ. શોભનાદેવી ગોહિલ, યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. પ્રીતિબા રાણા, માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ યોગેન્દ્રસિંહ રાણા તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષક ડી. કે. ઝાલા એ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
શિબિર દરમિયાન યુનિવર્સિટીના અનુભવી યોગ ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાન પદ્ધતિઓનું પ્રાયોગિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ટ્રેનરોએ જણાવ્યું હતું કે રોજિંદા જીવનમાં યોગ અપનાવવાથી એકાગ્રતા વધે છે અને માનસિક તણાવથી મુક્તિ મળે છે.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના પી.ટી. શિક્ષક શ્રી જે. પી. સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ જયેશભાઇ મોરી