Follow Us

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોકુલપુરા ગામ નજીક નાળા ઉપર વરસાદી પાણી ભરાઈ

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગોકુલપુરા ગામ નજીક નાળા ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં વિદ્યાથી તથા ગ્રામજનો જનો ને ઈડર તરફ જવા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, પ્રાપ્ત માહિતી અનુસાર ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિર પ્રતાપગઢ સાબલી ના બાજુમાં આવેલ ગોકુલપુરા ગામ આજે ગળનારા ના કારણે ખુબ મુશ્કેલી માં મુકાઈ ગયું છે સિઝનના પ્રારંભે ઠેર ઠેર પાણી ભરાતાં વિદ્યાર્થીઓ ને જીવના જોખમે અવર જવર કરવી પડે છે બાજુમાં આવેલ ચિત્રોડા ગામે શ્રી અેમ, આર, વ્યાસ નામે મોતીલાલ રેવાશંકર વ્યાસ હાઈસ્કૂલ પહેલેથી જ શિક્ષણ ક્ષેત્રે આગળ ચાલી રહી છે અને શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે જેથી કરીને આજુબાજુના ગામડાઓ માંથી વિધાર્થીઓ સારા એવા અભ્યાસ માટે આ હાઈસ્કૂલ માં અભ્યાસ કરે છે, સદરહું આ ગળનાળા ઉપર ભયજનક સપાટી વટાવી પાણી વહેતાં એસ, ટી,ડ્રાઈવરો પણ મુશ્કેલી માં મુકાઈ ગયા છે, આ બાબતે ગ્રામજનોઅે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધોર નિદ્વામાં હોય તેમ લાગી રહ્યું છે રજુઆત કરવા છતાં આવું બને તો પ્રજા નો વિશ્વાસ અને આપેલા ભરોસા પૂરા થઈ શકે છે.

પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા : સાબરકાંઠા

Leave a Comment