*ડાંગ : ભીલ સ્નેહ મિલન કાર્યક્રમના આયોજન અંગે રાજવી પરિવારની બેઠક*
ઝાકિર ઝંકાર
આહવા તા ૨૯
આવનાર દિવસોમાં યોજાનાર ભીલ સ્નેહ મિલન કાર્યક્રમના આયોજન સંદર્ભે રાજવી પરિવાર દ્વારા આહવા ટિમ્બરવા હોલ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભીલ સમાજના આગેવાનો તથા રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન વાસુરણા રાજવી શ્રીએ મહત્વપૂર્ણ મુદ્દો રજૂ કરતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા એકલવ્ય ભીલના નામે ડાંગ જિલ્લામાં એકલવ્ય શાળાઓ શરૂ કરવામાં આવી છે, પરંતુ દુઃખની બાબત એ છે કે આ શાળાઓમાં ભીલ પરિવારના બાળકોને યોગ્ય રીતે પ્રવેશ (એડમિશન) મળતું નથી. આ સ્થિતિ અંગે ભીલ પરિવારની વ્યથા વ્યક્ત કરતા તેમણે સમાજ સાથે વેદના ઠાલવી હતી.
આ પ્રસંગે રાજવી શ્રીના ભાવ વ્યક્ત કરતાં રાજવી શ્રી ધનરાજ સિંહ સુરવંશી ભાવુક બન્યા હતા અને ભીલ સમાજના બાળકોને શિક્ષણનો ન્યાય મળવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકારશ્રીને આ બાબતે ગંભીરતાથી વિચાર કરી ભીલ સમાજના બાળકોને એકલાવ્ય શાળાઓમાં યોગ્ય પ્રવેશ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી.