મોડાસા વોર્ડ નં. 8 ના અલહાયત સોસાયટી, રસુલાબાદ, વિસ્તારોમાં પાણી ભરાવા અને ખાડાઓની સમસ્યા અંગે ન્યૂ ઈન્ડિયા ટીવી દ્વારા સમાચાર પ્રસારિત થયા બાદ આખરે તંત્ર જાગ્યું છે.
સમાચાર પ્રકાશિત થયા બાદ કોર્પોરેટર તેમજ નગરપાલિકા તંત્ર હરકતમાં આવી ગયા છે અને રોડનું પુરાણ તથા મરામત કાર્ય તાત્કાલિક શરૂ કરી દીધું છે.
લોકોએ જણાવ્યું કે મીડિયા દ્વારા અવાજ ઉઠાવવામાં આવતા તેમની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવા લાગ્યો છે. હવે સ્થાનિક નાગરિકોને આશા છે કે રોડ સંપૂર્ણ રીતે સમારકામ થઈ જશે અને પાણી ભરાવાની સમસ્યામાંથી તેમને રાહત મળશે.
સ્થાનિક મહિલાઓએ ખાસ કરીને ન્યૂ ઈન્ડિયા ટીવીનો આભાર માન્યો છે કે સમસ્યા જાહેર થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને કામ શરુ થયું.
સાકીર ટીટોઇયા