બ્રેકિંગ,,,,,
અમરેલી જિલ્લાનાજાફરાબાદ બોટ એસોસિએશનના પટેલ તરીકે કનૈયાલાલ સોલંકી સહિત ત્રણ આગેવાનોની પુનઃવરણી…
જાફરાબાદ:ખારવા સમાજ બોટ એસોસિએશનની સામાન્ય સભામાં બહોળી સંખ્યામાં બોટ માલિકો દ્વારા આગામી પાંચ વર્ષ માટે ખારવા સમાજ જાફરાબાદના પટેલશ્રી તેમજ નગરપાલિકા જાફરાબાદ ના ચેરમેન જેમની ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનના પટેલ તરીકે શ્રી કનૈયાલાલ સોલંકી, શ્રી સંતોષભાઈ સોલંકી તથા શ્રી નારણભાઈ ભાલીયાની સર્વાનુમતે પુનઃવરણી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા છ વર્ષ દરમિયાન આ આગેવાનોએ નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીપૂર્વક એસોસિએશનનું
સફળ સંચાલન કર્યું હતું. કાર્યકાળની શરૂઆતમાં એસોસિએશન પાસે અંદાજે માત્ર રૂ. 55 હજારની રકમ હતી, જેને સુચારુ આયોજન, મિતવ્યયી વહીવટ અને સમાજના
સહયોગથી વધારી આજે એક કરોડ રૂપિયાથી વધુ સુધી પહોંચાડવામાં સફળતા મળી છે. આ સિદ્ધિથી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી છે.
નવનિયુક્ત પટેલશ્રીઓએ સમાજના વિશ્વાસ બદલ સૌનો
આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષ દરમિયાન પણ બોટ એસોસિએશનના વિકાસ, બોટ માલિકોના હિત અને સમાજની એકતા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કાર્ય કરવામાં આવશે.
સમાજના આગેવાનો અને સભ્યોએ શ્રી કનૈયાલાલ સોલંકી, શ્રી સંતોષભાઈ સોલંકી તથા શ્રી
નારણભાઈ ભાલીયાને પુનઃવરણી બદલ હાર્દિક અભિનંદન પાઠવી તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. તેમજ ચારે બાજુથી નવનિયુકત હોદ્દેદારોને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
બાઈટ,, બોટ એસેસન ના પટેલ કનૈયાલાલ સોલંકી
બાબુભાઈ વાઢેળ જાફરાબાદ