આજરોજ ડોલિયા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ અંતર્ગત ધોરણ 6 થી 8 ના બાળકો માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું.
બાળમેળામાં વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી. જેમાં જનરલ સ્ટોર, પુસ્તક પ્રદર્શન, ટાયર પંચર રીપેરીગ, ઔષધિ વનસ્પતિની માહિતી, વૃક્ષારોપણ, વાંચન લેખન પ્રવૃત્તિ, ગીત ગાયન પ્રવૃત્તિ, ગણિત ગમ્મત, વૈજ્ઞાનિક પરિચય જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા બાળકો જીવનમાં લાઈફ સ્કીલનું શું મહત્વ છે તે જાણી શક્યા.
સમગ્ર બાળમેળાનું આયોજન શાળાના આચાર્યશ્રી મનોજકુમાર રાણાના સહકારથી શાળાના શિક્ષકો દેવેનભાઈ પટેલ અને નિકિતાબેન ચૌધરી દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું.
શાળા વ્યવસ્થાપન સમિતિ ડોલિયાના અઘ્યક્ષશ્રી દિનેશભાઈ ઈશ્વરભાઈ મકવાણાએ બાળમેલાની મુલાકાત લીધી. બાળકો સાથે વાર્તાલાપ કરી વિશેષ માહિતી મેળવી. સરદારપુરાથી આવેલ વાલીશ્રી મુકેશભાઈ અને વિજયભાઈએ પણ બાળમેળાની મુલાકાત લઈ આનંદ વ્યક્ત કર્યો.
આમ આનંદ અને ઉત્સાહ સાથે બાળકોએ બાળમેળા થકી ખૂબ સુંદર જ્ઞાન પ્રાપ્ત કર્યું.
શાળાના આચાર્યશ્રી મનોજકુમાર રાણા દ્વારા શાળાના સૌ બાળકો અને સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર